"ઘણી વખત આપણે નક્કી કરતા હોઈએ છીએ કે આ વખતે પરીક્ષામાં ફર્સ્ટ ક્લાસ લાવવો જ છે, સ્પોર્ટ્સમાં કપ જીતવો જ છે વગેરે વગેરે, પણ અઘરું લાગતા આપણે વિચાર માંડી વાળીએ છીએ કે જવા દો, આપણાથી થાય એવું લાગતું નથી, અને હાર માનીને બેસી જઈએ છીએ. ક્યારેય વિચાર કર્યો છે કે ધ્યેય સુધી પહોંચવા માટે શું જરૂરી હોય છે ? અદબદ ધ્યેયને સ્ટ્રોંગ કઈ રીતે કરવો ? અઘરું લાગે ત્યારે કઈ રીતે ધ્યેયને વળગી રહેવું ? પરમ પૂજ્ય દાદાશ્રીએ આ અંકમાં કોઈ પણ ધ્યેય સુધી પહોંચવા માટે નિશ્ચયનું મહત્વ દેખાડ્યું છે. નિશ્ચયની કચાશો કેવી રીતે ઓળખાય ?, એને કેવી રીતે દૂર કરવી ? હતાશ થવાને બદલે કેવું વલણ રાખવું ? વગેરેની સુંદર સમજણ આ અંકમાં મૂકાઈ છે. તો આવો, આપણે નિશ્ચય વિષેની સુંદર વાતો સમજીએ અને ધ્યેય સુધી પહોંચવાની શક્તિ પ્રાપ્ત કરીએ. "
Welcome message from author
This document is posted to help you gain knowledge. Please leave a comment to let me know what you think about it! Share it to your friends and learn new things together.